મોરબીમાં રાજયમંત્રી કાલે શનિવારે લોકસંપર્ક અને વિકાસના કામોનું ખાતમૂહુર્ત કરશે

- text


મોરબી : રાજયમંત્રી બ્રિજેશ મેરજા મોરબીમાં દલિતવાસ અને ગોકુલનગર ખાતે વિકાસના કામોનું ખાતમૂહુર્ત કરશે અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે લોકસંપર્ક કરશે.

રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ) તા. ૨૯/૦૧/૨૦૨૨ને શનિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે દલિતવાસ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમૂહુર્ત કરશે. તદુપરાંત, ગોકુલનગર મેઇન રોડ ખાતે સી.સી. રોડ તેમજ રોડ ડીવાઇડરના કામોનું ખાતમૂહુર્ત કરશે.

- text

આ ઉપરાંત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે કૃષિ, સહકાર, માર્ગ-મકાન, સિંચાઇ જેવા વિભાગોને લગતાં પ્રશ્નો અન્વયે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોક પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેમજ જે લોકોને જાહેર પ્રશ્નોની રજુઆત હોય તેવા લોકોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી ખાતે રાજય મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાંભળશે તેવું યાદીમાં જણાવેલ છે.

- text