ટંકારા પોસ્ટઓફિસને પોતાનું સરનામું જ નથી : તાલુકાની 16 બ્રાંચ પણ ભાડાપેટે

- text


અદ્યતન ઓફીસ બનાવવા લોકમાંગ ઉઠી

ટંકારા : આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી.તેમજ ટંકારા પોસ્ટઓફિસની હેઠળ આવતી 16 જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે.ત્યારે સરનામા સુધી પહોંચતી સેવાની સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી છે.

જ્યારે દુનિયામાં ટેકનોલોજીનો ઉદય ન હતો થયો.ત્યારે કોઈપણ સંદેશો એક ગામ કે શહેરથી અન્ય ગામ કે શહેર સુધી પહોંચાડવા માટે એક માત્ર પોસ્ટ ઓફિસની સેવા ઉપલબ્ધ હતી.હાલમાં આંગળીના ટેરવે કોઈપણ ક્ષણે બીજી વ્યક્તિ સાથે વાત થઇ શકે છે.ત્યારે પણ ટપાલનો યુગ પુરો થયો નથી.અને કાગળની આપ-લે અને સરકારી નોટિસ સહિતની ટપાલ વ્યવહાર ચાલુ જ છે.

આવા આધુનિક સમયમાં આઝાદી પૂર્વેથી કાર્યરત ટંકારા પોસ્ટ ઓફિસને પોતાનુ કાયમી સરનામું જ નથી. તેમજ ટંકારા પોસ્ટ ઓફિસની હેઠળ આવતી 16 જેટલી બ્રાંચ ઓફીસ પણ ભાડાપેટે ચાલી રહી છે. ત્યારે સરનામા સુધી પહોંચતી સેવાની સંસ્થાને કાયમી સરનામું મળે એવી લોકમાંગ ઉઠી છે.

- text

હાલમાં ટંકારાની પોસ્ટ ઓફિસ દયાનંદ ચોક સ્થિત નાનકડા મકાનમાં ભાડે ચાલે છે. જેમાં સંકળાશ પડે છે અને પૂરતી સેવાઓનો અભાવ જોવા મળે છે.આથી,કુરિયર માટે પ્રાઈવેટ સર્વિસ તરફ લોકોને જવુ પડ્યુ છે.જે લાંબાગાળે સરકારી સંસ્થા એવી પોસ્ટ ઓફિસને નુકસાનકારક થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં ટંકારા પોસ્ટઓફિસને કાયમી સરનામું મળે અને તાલુકા કક્ષાની આધુનિક ઓફીસને કાર્યરત કરવાની માંગ ઉઠી છે.

- text