વરડુસર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ધેણોજા પરિવાર દ્વારા સદગતના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ધેણોજા પરિવાર દ્વારા સ્વ. ભરત બચુભાઈ ધેણોજાના મોક્ષાર્થે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ રાજારામ બાપુના વકતાસ્થાને યોજાઈ હતી. જેના છઠ્ઠા દિવસે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમસ્ત ગ્રામજનોના સહયોગથી 80થી વધુ લોકોનો રક્તદાન માટે રક્તદાતાનો વિશેષ સહયોગ મળેલ હતો. જે બદલ ધેણોજા પરિવારે સંસ્કાર બ્લડ બેંક તેમજ આ ઉમદા વિચારને વાસ્તવિક સ્વરૂપ આપનાર યુવાનોનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text