મોરબીમાં આહીર સમાજ દ્વારા વતન પરત ફરેલા નિવૃત્ત આર્મીમેનનું અભિવાદન કરાયું

- text


મોરબી : મોરબીમાં આહીર સમાજ દ્વારા નિવૃત્ત આર્મીમેનનો સત્કાર કાર્યક્રમ યોજી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનામાં 17 વર્ષ સેવા બજાવી મોરબી જિલ્લામાં વતન પરત ફરેલા કલ્પેશભાઈ વીરાભાઇ લોખીલનું આહીર સમાજ દ્વારા રાજકોટ બાદ મોરબી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત આર્મીમેનનો સ્વાગત કાર્યક્રમ મોરબીમાં નવલખી ફાટક પાસે આહિર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો.

- text

કાર્યક્રમ દરમિયાન લાખાભાઇ જારીયા, ચંદુભાઈ હુંબલ સહિતના સમાજના અગ્રણીઓએ તેમને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ પોતાના રોમાંચક અનુભવો શેર કર્યા હતા. આ તકે આર્મીમેન હેમખેમ પરત ફરવાથી આહીર સમાજમાં ખુશી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિતના અનેક સ્થળોએ તેમને ફરજ નિભાવેલી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text