રામ માધવજી સાથે ‘ચાય પે ચર્ચા’ કરતા ઓરેવાના જયસુખભાઈ પટેલ

- text


ઓરેવા ફાર્મ હાઉસ ખાતે ગહન ચર્ચા વિચારણા

મોરબી : તેલુગુ તથા અંગ્રેજીમાં અનેક પુસ્તકોના લેખ લખનાર વિચારક અને આરએસએસ અગ્રણી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવજીએ, જયસુખભાઇ પટેલ તેમજ સિરામિક એસોસિએશનના સભ્યો સાથે ઓરેવા ફાર્મ હાઉસ ખાતે ‘ચાઈ પે ચર્ચા’ કરી હતી.

અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ સહીત સિરામિક એસોસિએશનના હોદેદારો સાથે ઓરેવા ફાર્મ હાઉસ ખાતે RSSના રાષ્ટ્રીય કાર્યકારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવજીની મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમ્યાન લોકહિત, લોકકલ્યાણ અને લોકસુખ માટે જોયેલ “રણ સરોવર” રૂપી વિરાટ સ્વપ્ન અને તેમની લોકઉપયોગીતા પર ચર્ચા થઇ હતી. તેમજ વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામેલ સીરામીક ઉદ્યોગ અને કલોક ઉદ્યોગ પર પણ ચર્ચા કરવામાં આવેલ હતી.

તદ્ઉપરાંત, મોરબીના ઇન્ડસ્ટ્રીઅલ વિકાસ તેમજ વુમન ઇમ્પાવરમેન્ટ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. ઉલ્લેખનીય છે કે મોરબી જેવા નાના શહેરની વિશ્વ ફલક પરની આ સિદ્ધિઓથી રામ માધવજી પ્રભાવિત થયા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text