મોરબીમાં શિવ સાંઇ શ્રદ્ધા સબુરી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં શિવ સાંઇ શ્રદ્ધા સબુરી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં શિવ સાંઇ શ્રદ્ધા સબુરી ફાઉન્ડેશન દ્વારા ગત તા. 1ના રોજ નવા વર્ષ 2022ની શરૂઆતમાં ગરીબ, અસહાય તેમજ માનસિક બિમાર લોકોને શોધીને સવારથી સાંજ સુધી એકસો પચીસ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સ્થાપક સોનિકા સિસોદીયા, ધાબળાના મુખ્ય દાતા મોહિનીબેન ડાભી તથા નરશીભાઈ ચાવડા (પ્રમુખ, અખિલ ભારતીય માનવ સેવા દળ ગુજરાત રાજ્ય) તેમજ આનંદભાઈ પટેલ, મનસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ફાઉન્ડેશનના સ્થાપક સોનિકા સિસોદીયાએ કહ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા બિમાર લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે. તેમજ મુખ્ય દાતા મોહિનીબેન ડાભીએ લોકોને સંદેશ આપતાં કહ્યું હતું કે મહિલા ધારે તો શું ન કરી શકે? અને પોતાની વિકટ પરિસ્થિતિ વર્ણવી હતી. આ રીતે શિવ સાંઈ શ્રદ્ધા સબુરી ફાઉન્ડેશન દ્વારા ધાબળા વિતરણ કરી નવા વર્ષને આવકાર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય માનવ સેવાદળના પ્રમુખ નરશીભાઈ ચાવડા (કવિનશા)એ કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text