મોરબીના મહેન્દ્રનગરમાં માતા સાથે જાત જલાવનાર પુત્રીનું સારવાર દરમ્યાન મોત

- text


કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી માતા-પુત્રીએ અગ્નિસ્નાન કર્યાની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી ગઈકાલે જેઠાણી અને તેના પુત્રીએ આજે સવારે અગ્નિસ્નાન કરી લેતા બન્નેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.જેમાં રાજકોટ સારવાર હેઠળ રહેલી પુત્રીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની કૌટુંબિક દિયર-દેરાણીના ત્રાસથી માતા-પુત્રીએ અગ્નિસ્નાન કર્યાની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રેખાબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.52) અને તેમની યુવાન વયની પુત્રી બંસીબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.22) એ ગઈકાલે સવારે પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. બન્ને માતા પુત્રીએ શરીરે કેરોસીન છાંટી જાત જલાવતા ગંભીર રીતે દાઝી જવાથી બન્નેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે બન્ને માતા પુત્રીને રાજકોટ ખસેડાયા હતા.જેમાં ગંભીર રીતે દાઝેલી બંસીબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.22)નું ગતરાત્રે રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હજુ માતા રાજકોટમાં સારવાર હેઠળ છે.

- text

હોસ્પિટલના બિછાનેથી પોતાની જાત જલાવનાર રેખાબેને ગઈકાલે પોલીસ સમક્ષ માળીયાના મોટા ભેલા ગામે રહેતા તેમના કૌટુંબિક દિયર અમુભાઇ રતીલાલ કવૈયા તથા તેના પત્નિ પ્રવીણાબેન અમુભાઇ કવૈયાના ત્રાસથી આ પગલું ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. સાત વર્ષ પહેલા કૌટુંબિક દેરાણીએ પોતાના ભાઈના લગ્ન રેખાબેનની પુત્રી સાથે કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ રેખાબેને લગ્ન કરવાની ના પાડતા બન્ને આરોપીઓ વારંવાર આ મુદ્દે ત્રાસ આપતા હોય અને મેલી વિદ્યા કરી અમોને હેરાન કરતા હોય આ બન્ને પતિ પત્નીના માનસીક ત્રાસથી માતા-પુત્રીએ આ પગલું ભર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text