મોરબીમાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા

- text


ભેદભરમના આંટાપાટા સર્જતાં હત્યાના બનાવ અંગે હાલ ઘૂંટાતું રહસ્ય

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવ અંગે હાલ ભારે ભેદભરમ અને રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે.

હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલાલ મહેતા (ઉ.વ.76) નામના વૃદ્ધની આજે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર મૃતક દિનેશભાઇના પત્ની અને પુત્ર અને બે દીકરી- જમાઈ સહિતનો પરિવાર ગોવા ખાતે એક પારિવરિક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આથી દિનેશભાઇ મોરબી પોતાના ઘરે એકલા હતા ત્યારે ગઈકાલે સાંજના સમયે આ વૃદ્ધને કોઈએ માથામાં તેમજ પાછળના ભાગે અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

આ બનાવ બાદ મૃતકની પાડોશમાં રહેતા કૌટુંબિક મહિલા તેમના ઘરે નાસ્તો આપવા માટે ગઈ ત્યારે આ વૃદ્ધની હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો. જો કે સ્થાનિકોની મદદથી પ્રથમ વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન આજે મૃતકનો ગોવા ગયેલો પરિવાર પરત આવ્યો ત્યારે હત્યાની શંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં હત્યાના બનાવ અંગે હાલ ભારે ભેદભરમ અને રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text