મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ

- text


અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિના મોત

મોરબી : મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ સામે આવ્યા હતા.જેમાં અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં વાંકાનેર મોહનલાલ હિરાલાલ બનજારા (ઉ.વ-૪૩ રહેવાસી-સરતાનપર રામોશ કંપની ક્વાટર) ને તા.૮ના રોજ કીરામોસ કંપનીના ક્વાટરમા જ્મ્યા બાદ ઉલ્ટી થતા બેભાન થઇ જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં રાકેશભાઇ ફકરૂભાઇ મહીડા (ઉવ-૩૬ રહે-મોરબી લીલાપર રોડ ખાડીયામા) પોતાના ઘરે હતા. ત્યારે તેમને પેટમા દુ:ખાવો ઉપડતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

ત્રીજા બનાવમાં હરજીભાઇ પોલાભાઇ પાટડીયા (ઉ.વ.૫૫ રહે. ગામ ઘુનડા તા.ટંકારા) ગઈકાલે તા.૮ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે જાહેર શૌચાલય પાસે બેઠા હતા. તે દરમ્યાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.

ચોથા બનાવમાં નીકુજભાઇ ભુરાભાઇ ભરવાડ (ઉ.વ ૪૩ રહે,કેરાળા તા. વાંકાનેરવાળા) ગઈકાલે કોઈ કારણોસર મરણ જતા તેમની ડેડબોડીને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text