મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આજે ડાક ડમ્મરની રમઝટ

- text


મોરબી: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવાસની મેલડી માતાજીનો માંડવો તથા માં મોગલનો તરવેરોનું આજે ૭મીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશનભાઈ રાવળદેવ, તથા રમેશભાઈ રાવળદેવ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આવાસના મેલડી માતા મંદિરે આજે તા.૭ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મેલડી માતાજી માંડવો તેમજ માં મોગલનો તરવેરોનું આયોજન કરવામાં આવ્યું છે.આ માંડવામાં કિશનભાઈ રાવળદેવ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક – ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૭ મીએ યોજાનાર માતાજીનો માંડવો તેમજ માં મોગલનો તરવેરોમાં પધારવા માટે દિપકભાઈ-મોરબી, અને સુનિલભાઈ -બંધુનગર તેમજ સોનગ્રા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text