યુવતીએ ગળેફાસો ખાઈ જીવનલીલા સંકેલી

- text


મોરબીના મહેન્દ્રનગર ગામે બનેલી ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે યુવતીએ ગળેફાસો ખાઈને જીવનલીલા સંકેલી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતી દયાબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામની યુવતીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવતીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text