ઘુંટુ હનુમાન મંદિરના લાભાર્થે શુક્રવારે નાટક-કોમિકનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ઠેરઠેર દિવાળી-દેવદિવાળી નિમિત્તે તુલસીવિવાહ, નાટકો, મનોરંજનો, હાસ્યસ્પદ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. ત્યારે બજરંગ યુવક મંડળ દ્વારા આ વર્ષે હનુમાનજી મંદિરના લાભાર્થે નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘુંટુ જનકપુર ખાતે હનુમાન મંદિરના નવનિર્માણના લાભાર્થે તા.19/11/2021ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે રામજી મંદિર ચોક, ઘુંટુ (જનકપુર) ખાતે ઐતિહાસિક, સામાજિક, રાજકીય ખટપટનો ત્રિવેણી સંગમ એવું નાટક ‘મોટા દહીંસરાનો ઇતિહાસ – વીર આહીર ભોજો મકવાણો’ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નાટકમાંથી બોધપાઠ મળે તથા ગામલોકો વ્યસ્ત જીવનમાંથી પોતાના માટે સમય કાઢી કાર્યક્ર્મોનો આનંદ માણે, તેઓનું મનોરંજન પણ થાય તે માટે હાસ્યસ્પદ કાર્યક્રમ પેટ પકડીને હસાવે તેવું કોમિક ‘જીવણ શેઠની જમાવટ’નું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ યુવક મંડળે ગામલોકોને કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text