મોરબી પ્રજાપતિ સમાજ દ્વારા રાજ્યમંત્રીને ચાકડાનું પ્રતીક આપી સન્માનિત કરાયા

- text


મોરબી : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર તથા બ્રિજેશભાઈ મેરજા આજે સામકાંઠે સો-ઓરડી વરિયા બોર્ડિંગ પાછળ વોર્ડ નં.-4ના કાઉન્સિલર મનસુખભાઇ બરાસરાના ઘરે પધાર્યા હતા.

જેઓનું પ્રજાપતિ સમાજના આગેવાનો મનસુખભાઇ બરાસરા (ચેરમેન મોરબીનગર પાલિકા), અશ્વિનભાઈ બરાસરા (લોકસાહિત્યકાર અને સભ્ય મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ),પંકજભાઈ પ્રજાપતિ (મોરબી શહેર ભાજપ મંત્રી ), હર્ષદભાઈ વામજા (મંત્રી મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), કાંતિલાલ કણસાગરા (મોરબી શહેર ભાજપ મહામંત્રી બક્ષીપંચ મોરચો )દ્વારા સાલ અને મોમેન્ટો આપી સન્માન કરેલ તથા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા,મોરબીનગર પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિહ જાડેજા તથા વોર્ડ નં-4ના કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા ગીરીરાજસિહ ઝાલા, મોરબી શહેર કારોબારી સભ્ય હરીભાઇ રાતડીયા, રમેશભાઈ ભરવાડ, કે. કે. પરમાર, મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ બળવંતભાઈ સનાળિયા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text