હાય રે…ગરીબી ! ઘરમાં રૂપિયા – રાશન ખૂટી જતા પરિણીતાનો આપઘાત

- text


હળવદની ઘટના : એક સમયે જાહોજલાલી વાળા ઘરમાં પતિએ ઘર છોડી દીધા બાદ પત્ની બાળકોની હાલત કફોડી બની

હળવદ : દિવાળીના સપરમાં દિવસોમાં જ હળવદમાં અરેરાટી મચાવતી એક ઘટનામાં પતિ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ માંડ જીવન નિર્વાહ ચલાવતા ઘરમાં રૂપિયા અને રાશન ખૂટી પડતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં સતનામ કોમ્પ્લેક્સ સામે રહેતા સંગીતાબેન અશોકભાઇ મીયાત્રા ઉ.43 નામના મહિલાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજતા મરણ જનારના પુત્ર માનવભાઇ અશોકભાઇ મીયાત્રાએ જાહેર કરતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના પતિ દસથી બાર વર્ષ પૂર્વે ઘર છોડીને ચાલ્યા ગયા હોય આર્થિક સંકળામણ ભોગવતા મિયાત્રા પરિવારમાં છેલ્લા દિવસોમાં રૂપિયા અને રાશન ખૂટી જતા સંગીતાબેને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના મતે એક સમયે જાહોજલાલી ભર્યું જીવન જીવતા પરિવારમાં આર્થિક સંકટ આવી પડતા દિવાળી સમયે જ અરેરાટી મચી જવા પામી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text