હળવદમાં મંગળવારે વિનામૂલ્યે મેગા આયુષ નિદાન-સારવાર કેમ્પ

- text


હળવદ : હળવદમાં મંગળવારે વિનામૂલ્યે મેગા આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા વિનામૂલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ આગામી તારીખ 2ને મંગળવારે સવારે 9થી બપોરે 1 કલાક સુધી સરકારી આયુર્વેદ દવાખાનું, નાલંદા સ્કૂલ સામે, હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોગોથી સારવાર તથા માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવશે. વિનામૂલ્યે ઋતુજન્ય રોગ પ્રતિરોધક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા આપવામાં આવશે.

કેસની નોંઘણી સ્થળ પર જ વહેલા તે પહેલાનાં ધોરણે સવારે 9 કલાકેથી કરવામાં આવશે. આ કેમ્પમાં મોરબી જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી ડૉકટરો સેવા આપશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text