મોરબીના થોરાળા ગામે પરિણીતાએ વખ ઘોળ્યું

- text


ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબીના થોરાળા ગામે પરિણીતાએ વખ ઘોળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના થોરાળા ગામેં આવેલ અજીતભાઇ પટેલની વાડીએ ખેતમજૂરી કરતી સંગીતાબેન મુકેશભાઇ ઘાબરા (ઉ.વ.૨૦) નામની પરિણીતા ગત તા.૨૫ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.જ્યાં તેણીનું ગઈકાલે તા.૨૮ ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text