એનિમલ હેલ્પલાઇનની ટીમ દ્વારા બે ગૌમાતાના શિંગડાનું ઓપરેશન કરી ગાયને જીવનદાન અપાયું

- text


મોરબી : મોરબી એનિમલ હેલ્પલાઇનની ટીમ દ્વારા બે ગાયના શિંગડાનું ઓપરેશન કરી ગાયોને જીવનદાન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના મકનસર અને હળવદ તાલુકાના ખોડ ગામે એક-એક ગાય શિંગડાના ભાગમાં કેન્સરથી પીડાતી હતી. ત્યારે દસ ગામ દીઠ એક એ રીતે ચાલતી 1962 એનિમલ હેલ્પલાઇન યોજનાની ટીમ દ્વારા આ બે ગાયોના શિંગડાનું ઓપેરશન કરી જીવનદાન આપવામાં આવ્યું હતું. જેમાં 1962 એનિમલ હેલ્પલાઇનની ટીમ ડો. તાલિબ હુસેન, ડો. વિપુલ કાનાણી, ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટ તરીકે જયદીપ જલુ અને વિશાલ સોનારા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text