મોરબીમાં જાણીતા હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબીમાં તાજેતરમાં મંથન ગ્રુપના નાથાભાઈ આહીર તથા ત્રિલોકધામ મંદિરના પુજારીના સહયોગથી જાણીતા હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ સન્માન કાર્યક્રમમાં મંથન ગ્રુપના નાથાભાઈ આહીર તથા ત્રિલોકધામ મંદિરના પુજારી દ્વારા ચંદ્રશેખર પંડયાને સાલ ઓઢાડી તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા.

સન્માન કાર્યક્રમમાં મંથન ગ્રુપના નાથાભાઈ આહીર તથા ત્રિલોકધામ મંદિરના પુજારીએ પોતાના વકત્વ્યમાં જણાવેલ કે, ચંદ્રશેખર પંડયા છેલ્લા પ૦ વર્ષથી લોકોને હાસ્યરસ પીરસે છે. અને તેઓ દુરદર્શન તથા દરેક ગુજરાતી ચેનલમાં રજુ થાય છે. તથા યુટયુબમાં પણ તેઓના હાસ્યના આલ્બમો છે. તેમજ ચંદ્રશેખર પંડયાએ તેમના વકત્વ્યમાં જણાવેલ કે છેલ્લા પ૦ વર્ષથી હાસ્યયાત્રામાં મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તેમજ સાથી કલાકારોનો પણ ખુબ લાગણી અને પ્રેમ મળ્યો છે. જેથી હું લોકોનો તથા સાથી કલાકારોનો આભારી છું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text