ઢવાણા ગામ ખાતે શુક્રવારે આયુર્વેદ સારવાર કેમ્પ અને યોગ શિબિર

- text


મોરબી : મોરબી જિલ્લાના ઢવાણા ગામ ખાતે શુક્રવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુર્વેદ સારવાર અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-મોરબી હસ્તકના સરકારી આયુર્વેદ દવાખાના-સાપકડા અને સુસવાવ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ને અનુલક્ષીને નિયામક આયુષ અને જિલ્લા આયુ્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ પે સેંટર શાળા-ઢવાણા ખાતે તા. 8/10/2021 ને શુક્રવાર ના રોજ સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ, રસોડાની ઔષધીઓનું માર્ગદર્શન, યોગ માર્ગદર્શન શિબિર, દિનચર્યા, ઋતુચર્યા અને સ્વસ્થ વૃત શિબિર, ડાયાબીટીસની તપાસ, માર્ગદર્શન અને આયુર્વેદ સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં વૈદ્ય એમ.આઇ.પિલુડીયા (મે. ઓ. સાપકડા), વૈદ્ય જયેશ ગરધરિયા (એમ.ઓ.સુસવાવ) અને યોગ ટ્રેનર સુનીલભાઇ સેવા આપશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text