આવકનો દાખલો હવે ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે

- text


રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : હવે દર વર્ષે આવકનો દાખલો મેળવવા લાઈનમાં નહીં ઉભું રહેવું પડે

મોરબી : રાજય સરકાર દ્વારા એક મહત્વપુર્ણ નિર્ણય લઇ આવકના દાખલાની સમય મર્યાદા ત્રણ વર્ષ સુધીની કરવામાં આવી છે જેથી હવે લોકોને વિવિધ જગ્યાએ આવકના દાખલ રજૂ કરવા માટે દરવર્ષે લાઈનો નહીં લગાવવી પડે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. આ નિર્ણયને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી રાહત મળી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજયમાં ડિજિટલ ગુજરાત હેઠળ આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે, તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.

- text

રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજયના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે.સરકારના આ નિર્ણય બાદ હવેથી રાજયના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુકિત મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text