મોરબી જિલ્લામાં 248 ગામોમાં 100 ટકા રસીકરણ

- text


જિલ્લામાં 73 ટકા નાગરિકોએ પ્રથમ અને 86 ટકા નાગરિકોએ બીજો ડોઝ લીધો : માળીયા – ટંકારામાં નીરસ રસીકરણ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કોરોના વેકસીનેશનની પુરજોશમાં કામગીરી થઈ રહી છે. જિલ્લામાં ડિસેમ્બર સુધી રસીકરણ પૂર્ણ કરવા માટેના ઉચ્ચસ્તરેથી આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાના 300 વધુ ગામો પૈકી 248 ગામોમાં 100 ટકા વેકસીનેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ ડોઝ 73 ટકા અને બીજો ડોઝ 86 ટકાની કામગીરી થઈ છે. બાકીના ગામોમાં વેકસીનેશનની કામગીરી ઝડપથી આગળ ધપી રહી છે.

મોરબી જિલ્લામાં સૌથી વધુ મોરબી તાલુકામાં વેકસીનેશન થયું છે.જેમાં મોરબી તાલુકાના 98 ગામોમાં 100 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું છે જ્યારે સૌથી ઓછું માળીયા તાલુકામાં રસીકરણ થયું છે.જેમાં માળીયા તાલુકામાં 18 ગામોમાં જ વેકસીનેશન થયું છે. જ્યારે ટંકારાના 39 ગામો, વાંકાનેર તાલુકાના 47 ગામો અને હળવદ તાલુકાના 46 ગામોમા વેકસીનેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે.

- text

જ્યારે જિલ્લાના 36 ગામોમાં રસીકરણની કામગીરી 50 ટકા જ થઈ છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 597853 લોકોએ પ્રથમ ડોઝ અને 204143 લોકોએ બીજો ડોઝ લીધો છે. તેમજ દરરોજ જિલ્લામાં સરેરાશ 5 થી 7 હજાર લોકોનું વેકસીનેશન કરવામાં આવે છે. જો કે વડાપ્રધાનના જન્મદિવસે રેકોર્ડબ્રેક વેકસીનેશન થયા બાદ વેકસીનેશનમાં ખૂબ ઝડપ આવી છે. હવે ડોઝ અપૂરતાની પણ ઝંઝટ રહી નથી. ડોઝ વધુ આવતા હોય વેકસીનેશન માટેના સ્થળો પણ દરરોજ વધારવા આવે છે. એટલે જિલ્લામાં ખૂબ જ ઝડપથી વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text