મોરબીમાં સીરામીક ફેકટરીમાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલહવાલે

- text


પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો આદેશ આપ્યો

મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં ગઈકાલે છરીના ધા ઝીકીને શ્રમિકની હત્યા કરાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં મૃતક શ્રમિકે તે જ કારખાનામાં કામ કરતી એક મહિલાને બીભત્સ ઈશારા કરતા ખુન્નસે ભરાયેલા એ મહિલાના પતિએ શ્રમિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો છે.

- text

મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ રેડીયન્ટ સીરામીક કારખાનામાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (ઉ.વ.27)ની બે દિવસ પહેલા તે જ સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની બારીવાલ કુશાલભાઈ ટુડુંએ છરીના ઘા ઝીકીની હત્યા કરી નાખી હતી. આરોપી બારીવાલ કુશાલભાઈ ટુડુંની પત્નીને થોડા દિવસ પહેલા મૃતક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રાએ બીભત્સ ઈશારા કર્યા હતા. આથી મહિલાના પતિ બારીવાલ કુશાલભાઈ ટુડુંએ ક્રોધિત થઈને જ્ઞાનેન્દ્ર મિશ્રાને શાકભાજીની છાલ ઉતારવાના ચપ્પુથી ગળાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text