અંતે કોરોના રસી મુકાવતા નવલખીના નાગરિકો

- text


નવલખી આંગણવાડી કેન્દ્ર ખાતે 112 લોકોનું વેકસીનેશન

માળીયા : માળીયા તાલુકામાં કોરોના વેક્સીન મુકાવાને લઈ નાગરિકોમાં રહેલી ગેરમાન્યતા દૂર કરવા આરોગ્ય વિભાગ અને આંનદી ટ્રસ્ટ દ્વારા સહિયારા પ્રયાસ કરવામાં આવતા આજે નવલખી આંગણવાડી કેન્દ્ર ખાતે 112 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

- text

માળીયા તાલુકામાં વેકસીનેશન માટે જન જાગૃતિ કેળવવા સંસ્થાઓએ ભગીરથ પ્રયાસો કર્યા હતા. જેમાં વેકસીનેશનની જાગૃતિ કેળવી લોકોના વેકસીનેશન માટે પણ સક્રિય પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં માળીયા પંથકમાં ઘરે ઘરે ફરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાની ટીમ અને આંનદી ટ્રસ્ટ માળીયા દ્વારા આગેવાનોને મળીને કરેલા પ્રયત્નોથી આજે નવલખી આંગણવાડી કેન્દ્ર ખાતે 112 લાભાર્થીઓને કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text