વાડીના કુવામાંથી તરુણની લાશ મળી

- text


વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ વાડીના કુવામાંથી તરુણની લાશ મળી આવી હતી. વાંકાનેર પોલીસે તરુણની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં રાજુભાઇની વાડીમાં કુવામાંથી વિક્રમભાઇ અરવીંદભાઇ સંગાલા (ઉ.વ. ૧૬ રહે લાકડધાર તા. વાંકાનેર) ની લાશ ગઈકાલે મળી આવી હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તરુણની લાશ કબ્જે લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી આ બનાવ અકસ્માતનો છે આપઘાત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text