વેપારીઓ અને નોકરિયાતોને ફરજિયાત વેક્સિન લેવાની સમય મર્યાદા 10 જુલાઈ સુધી લંબાવાઈ

- text


રાજ્યમાં રસીની અછતના કારણે સર્જાયેલા દેકારા બાદ રાજ્ય સરકારે જાહેર કર્યો નિર્ણય

મોરબી : સરકાર દ્વારા અનલોકની જાહેરાત સાથે કોરોના ગાઈડલાઈન અનુસાર વેપારીઓને 30 જૂન સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાલ રાજ્યમાં રસીની અછતના કારણે લોકો પરેશાન છે. સરકારના આદેશ બાદ વેપારીઓ વેક્સિન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આજ રોજ રાજ્ય સરકારે વેપારીઓ માટે વેક્સિન લેવા માટેની સમયમર્યાદા વધારીને 10 જુલાઈ, 2021 સુધીની કરવાનો નિર્ણય કર્યો છે.

આજરોજ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. જે મુજબ રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત બનાવવામાં આવી છે તેની સમય મર્યાદા હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ, થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી. નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશે નહી.

ત્યારબાદથી તમામ વેક્સિનેશન સેન્ટર પર ભીડ થાય છે. ક્યાંક વેક્સિન નથી, જેનાથી સેન્ટર ઘટાડો કરાયા છે. જ્યાં લાઈન લાગે છે ત્યાં વેકસીન પર્યાપ્ત નથી, તો જે પ્રમાણે સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ છે તે પ્રકારે વેપારીઓ અને તેમના કર્મચારીઓ કઈ રીતે સમયસર વેક્સિન લઈ શકશે તે મોટો પ્રશ્ન હતો.

- text