એચઆઇવી પીડિતો માટે કામ કરતા એઆરટી કર્મચારીઓને પગારમાં અન્યાય

- text


ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ દ્વારા મનસ્વી નિર્ણય

મોરબી : એચઆઇવી પીડિતો માટે કામ કરતા એઆરટી કર્મચારીઓને પગારમાં અન્યાય થતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અન્યાય દૂર કરવા માંગ ઉઠાવી છે.

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ દ્વારા એચઆઇવી પીડિતો માટે કપરા સંજોગોમાં અસરકારક કામગીરી કરતા એઆરટી કર્મચારીઓને અન્યાયી વલણ અપનાવી 2017ના ધોરણે પગાર ચુકવવામાં આવતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પગારમાં અન્યાય દૂર કરવા માંગ ઉઠાવી છે.

- text

- text