- text
મોરબી : મોરબી તાલુકામાં ફેક્ટરીમાં છત પરથી પડી જતા ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
ગત તા. 25 મેના રોજ મોરબીમાં લગધીરપુર રોડ પર પ્લસ પેકેજીંગ કારખાનામાં કોઈ કારણોસર છત ઉપરથી પડી જતા ત્રણ વર્ષના આયુષ અશોકભાઇ રાઠોડને ગંભીર ઇજા થઇ હતી. આથી, પ્રથમ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે સારવારમા દાખલ થયેલ હતો. જ્યાં તા. 26ના રોજ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text
- text