ટંકારામાં મામલતદાર અને પી.એસ.આઈ. દ્વારા કોરોના અંગેની જનજાગૃતિ અર્થે ફ્લેગમાર્ચ યોજાઈ

- text


ટંકારા : ટંકારામાં મામલતદાર અને પોલીસ સબ ઇન્સ્પેકટરે સાથે મળી કોવિડ ફ્લૅગ માર્ચ યોજી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને જનજાગૃતિ દાખવવા વેપારી અને નગરજનોને અપીલ કરી હતી.

- text

ટંકારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં ટંકારા ફોજદાર બિ.ડી.પરમાર સહિતના પોલીસ સ્ટાફ સાથે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કોરોના કેસ ઘટયા બાદ નગરજનો અને વેપારી વાયરસને હલકામા ન લે અને સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્ક સહિતના જીલ્લા મેજિસ્ટ્રેટના પરિપત્રનુ પાલન કરાવવાના હેતુથી સાંજે દેરીનાકા રોડ ઉપરથી દયાનંદ ચોક, શાક માર્કેટ, મેઈન બજાર, હોસ્પિટલ રોડ સુધી ફ્લેગ માર્ચ યોજી હતી. આ તકે મામલતદાર દ્વારા વેપારી સાથે સાવધાની રાખવાની સુચના અપાઈ હતી. જ્યારે પોલીસે માસ્ક વગરનાને માસ્ક આપી હમેશા માસ્ક પહેરવા જણાવ્યું હતું.

- text