- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
કણકોટ ગામે રહેતી 25 વર્ષીય રેમીબેન પાચાભાઇ મુંધવાએ ગઈકાલે તા.29 ના રોજ પોતાના ઘરે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
- text
મૃતક રેમીબેનના લગ્ને 7 મહિના જેટલો સમય થયો છે. હાલ તેઓ સાસુ-સસરા સાથે રહેતા હતા. હાલમાં DySP રાધીકા ભારાઇ આપઘાતનું કારણ જાણવા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.
- text