મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

- text


એક શખ્સે માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના સામાંકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ પાવડીયારી મેલડીમાના મંદીર નજીક ગઈકાલે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન પર લોંખડના પાઈપથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને એક શખ્સ સામે માર મર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોરાવાળી શેરી પાસે રહેતા વિનોદભાઈ ખોડાભાઈ દેકાવડીયા (ઉ.વ. ૪૫)એ આરોપી નવઘણભાઈ માત્રાભાઈ (રહે.મોરબી-૨, જુના ઘુંટુ રોડ, ડાઢાની ચકી પાછળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે પાવડીયારી મેલડીમાના મંદીર પાસે ફરીયાદીને આરોપી સાથે આજથી આઠ માસ પહેલા ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઈપ વતી ડાબા હાથ ઉપર તથા શરીરે આડેધડ મારતા ફરીયાદીને ડાબા હાથમા ફેકચર જેવી ઈજા થઈ હતી. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.

- text