સાંસદ મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ

- text


1 એમ્બ્યુલન્સની અગાઉ ટંકારામાં ફાળવણી બાદ આજે લજાઈ અને ઘુંટુ માટે ફાળવાઈ 2 એમ્બ્યુલન્સ 

મોરબી: સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સાંસદ તરીકે તેમને મળતી ગ્રાન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટનાં નિર્માણ હેતુ ફાળવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે શનિવારે 2 એમ્બ્યુલન્સ ટંકારા તાલુકા માટે તેઓએ ફાળવી હતી.

સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોહનભાઈ કુંડારિયાએ રાજકોટ જિલ્લાના કોટડા, કુવાડવા અને પડધરી માટે 3 તથા રાજકોટ શહેર માટે 3 અને ટંકારા માટે 1 એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. ત્યારે આજે શનિવારે લજ્જાઈ અને ઘુંટુ માટે 1-1 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. આવતા 15 દિવસ બાદ વધુ 2 એમ્બ્યુલન્સ તેઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.

જે ખરેડા અને વાંકાનેર માટે સેવારત રહેશે તેવું જણાવી સાંસદે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન ઉમેર્યું હતું કે, કુદરતી હવામાંથી જ સીધો ઉત્પન્ન થાય એવા ઓક્સિજન પ્લાન્ટ માટે પણ ગ્રાન્ટ સેન્ટરમાં ફાળવી છે. કુલ 3 કરોડ અને 25 લાખ જેટલી રકમ અત્યાર સુધીમાં આરોગ્ય ક્ષેત્રમાં ફાળવી હોવાનું જણાવી સાંસદે અંતમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વધુ જરૂરિયાત પડશે તો આવનારા દિવસોમાં મળતી ગ્રાન્ટ પણ આરોગ્ય ક્ષેત્રે તેઓ ફાળવશે.

- text

- text