- text
આખરે મોરબી જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણનું મુહૂર્ત નીકળ્યું : લોકાર્પણ બાદ ક્રમશ કચેરીની જુદી-જુદી શાખાઓનું સ્થળાંતર
મોરબી : મોરબી શહેરના સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનમાં નિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું આગામી તા. 3જી જૂનના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
મોરબી જિલ્લા પંચાયતના ડે.ડીડીઓ ઇલાબેન ગોહિલના જણાવ્યા મુજબ આગામી તા.3જી જૂનના રોજ સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત માસે મુખ્યમંત્રીના હસ્તે રૂબરૂ લોકાર્પણ માટે તજવીજ શરૂ થઇ હતી પરંતુ કોરોના મહામારીને કારણે લોકર્પણ અટકી ગયું હતું.
વધુમાં, નવનિર્મિત કચેરીના લોકાર્પણ બાદ હાલમાં ફર્નિચર સહિતનું કામ ચાલતું હોય ક્રમશ જુદી-જુદી શાખાઓનું સ્થળાંતર કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
- text
- text