અજય લોરીયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના શહીદના પરિવારને રૂ. એક લાખની સહાય

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય, ભાજપ અગ્રણી અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા અજયભાઈ લોરિયા દ્વારા નિયમિત રીતે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે અજયભાઈ લોરિયાએ ગીર સોમનાથ જિલ્લાના શહીદ સૈનિકના પરિવારને રૂ. 1 લાખની આર્થિક સહાય કરી રાષ્ટ્રપ્રેમ પુરવાર કર્યો છે.

ગીર સોમનાથ જીલ્લાના રહીજ ગામના વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ 32 વર્ષની યુવાવયે જયપુર ઘોડેસવારીમાં શહીદ થયા હતા. મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા અને તેમની ટીમે તેમના પરિવારને રૂબરૂ મળીને રૂ. 1 લાખ અર્પણ કર્યા હતા. અજયભાઇએ શહીદના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અજયભાઇ અને તેમની ટીમ દ્વારા ફાળો એકત્ર કરી પુલવામા હુમલાના શહીદોના પરિવારોને રૂબરૂ મળી આર્થિક સહાય પહોંચાડવામાં આવી હતી.

- text

- text