- text
મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે
વાંકાનેર : વાંકાનેર હોલ માતાના મંદિર નજીક રાજકોટના યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી મહિકા નજીક રેતીની ગાડી ભરવા આવી રહેલા યુવાનનો હત્યારાઓએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કરી હત્યાને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
- text
વધુમાં મૃતક યુવાન રાજકોટમાં રહેતો રાહુલ આહિર હોવાનું અને મૃતક રાહુલ રાજકોટમાં હત્યાના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલમાંથી જામીન પર છુટેલો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
હાલમાં હત્યાના બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને એલસીબી તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હોવાનું જાણવા મળે છે.
- text