મોરબીમાં લોહાણા મહાજન દ્વારા રઘુવંશી કોવિડ કેર સેન્ટર ટીમનું અભિવાદન કરાયું

- text


મોરબી : મોરબીના લોહાણા મહાજન દ્વારા રઘુવંશી કોવિડ સેન્ટર-મોરબીની અનન્ય કામગીરી બદલ સમગ્ર ટીમનુ અભિવાદન કરવામા આવ્યુ હતું.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે કહેર વરસાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભરડો લીધો છે. એવામાં સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજનું પ્રથમ કોવિડ સેન્ટર મોરબી ખાતે રઘુવંશી કોવિડ સેન્ટરના નામે કાર્યરત થયુ હતુ. જેમાં તન-મન-ધનથી લોહાણા અગ્રણીઓએ આપેલ યોગદાનથી અનેક કોરોના પેસન્ટની સારવાર કરવામાં આવી હતી.

લોહાણા અગ્રણીઓના આ ઉમદા કાર્ય બદલ મોરબી લોહાણા મહાજન-મોરબી દ્વારા રૂચિરભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર, સુનિલભાઈ પુજારા (રામ મોબાઈલ), જય કક્કડ, હાર્દિક રાજા, નર્સિંગ ડીપાર્ટમેન્ટ હેડ રવિના મેડમ, ડો. યશ હીરાણી, ડો.ભાવીન ચંદે, ચંદ્રેશભાઈ ઠક્કર, પરેશભાઈ કાનાબાર, દીલીપભાઈ કાનાબાર, તેજશ બારા, જશવંતભાઈ મીરાણી સહીતના અગ્રણીઓની અનન્ય સેવા બદલ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, જીતુભાઈ પુજારા સહીતના અગ્રણીઓએ સેવાના ભેખધારી યુવાનોને બિરદાવ્યા હતા. તેમજ જલારામ સેવા મંડળ-મોરબીના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓએ શુભેચ્છા પાઠવી હતી. તેમ લોહાણા મહાજનના કન્વીનર નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text