વાંકાનેરના રંગપરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળેલા અજાણ્યા આધેડના વાલી-વારસની શોધખોળ

- text


આધેડ અંગે જાણકારી હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે અજાણ્યા આધેડની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બનાવની નોંધ કરી આધેડની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

- text

વાંકાનેરના રંગપર ગામની સીમમાં વેન્ટો કારખાના તરફ જવાના રસ્તે પીઠુભાઈ ભુપતભાઇ ખાચરના ખેતરમાં લીમડાની ડાળમાં લોખંડના વાયર સાથે ગળાફાંસો ખાઈ લીધેલ હાલતમાં એક આધેડની લાશ મળી આવી છે. જેની ઉંમર અંદાજે 45થી 50 વર્ષ જણાઈ રહી છે. આ આધેડે શરીરે કાબર ચિતરો (સફેદ તથા કોફી) કલરની આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ તથા શિવ ત્રોફાવેલ છે. તથા જમણા હાથની કલાઈ ઉપર જય ચામુંડા ત્રોફાવેલ છે. ડાબા હાથમાં અંગ્રેજીમાં ‘s’ ત્રોફાવેલ છે.

જો કોઈ આ આધેડ વિશે માહિતી જાણતા હકી તો તેઓને વાંકાનેર તાલુકા પોલીસ મથક મો.નં. 02828 200665 તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા મો.નં. 8320861036 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text