આગામી 14 મેથી હળવદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થશે

- text


ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી ખેતપેદાશો વેચવા આવવાનું રહેશે : આજે યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય

હળવદ : કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે પાછલા ઘણા દિવસથી હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ કાજ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ પાછલા થોડા દિવસોથી કોરોના કૂણો પડયો હોય તેમ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. જેથી, આજે હળવદ માર્કેટયાર્ડ ખાતે યાર્ડના ચેરમેન, વેપારીઓ અને કમિશન એજન્ટો વચ્ચે બેઠક યોજાઈ હતી અને યાર્ડમાં હરરાજીનું કામ ૧૪ મેથી ચાલુ કરવા નક્કી કરાયું છે

આજે હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં વેપારી અને એજન્ટો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે યાર્ડમાં વિવિધ જણસો લઈને આવતા ખેડૂતોની જણસનો નિકાલ થાય તેમજ હાલ મજૂરો પણ ઓછા છે. જેથી, મર્યાદિત ખેડૂતોને મર્યાદિત જણસી લઈ બોલાવવામાં આવશે. તમામ ખેડૂતએ માર્કેટ યાર્ડમાં હરરાજીથી માલ વેચવા માટે નોંધણી કરવાની રહેશે.

- text

નોંધણી કરવા માટે મોબાઈલ નંબર 90337 21811 ઉપર વોટ્સએપમાં HI લખીને મોકલવાથી લિંક મળશે અને જે તે કમિશન એજન્ટના ત્યાં માલ લઈને જવાનું હોય તે કમિશન એજન્ટ પાસેથી ખેડૂત મિત્રોએ લિંક મેળવી અને વિગત ભરી નોંધણી કરવાની રહેશે. માલ લઇ જવાની તારીખ અને હરરાજીની તારીખ ખેડૂતએ નોંધણીમાં દર્શવાની રહેશે. અને એ જ તારીખે યાર્ડમાં પ્રવેશ મળશે. યાર્ડમાં ભીડના થાય અને સોસીયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવાનું રહેશે. તેમજ સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની શરતે અને વ્યક્તિગત જવાબદારીથી યાર્ડમાં વેચાણ અર્થે આવવાનું રહેશે.

- text