હળવદમાં કોરોનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા 15મીએ શિવ મહિમ્ન સ્ત્રોત પઠન

- text


ભગવાન ભોળાનાથ સમક્ષ સમગ્ર વિશ્વમાંથી કોરોનાનું સંકટ દૂર કરવાની પ્રાર્થના કરાશે

હળવદ : હાલમાં કોરોના મહામારી હાહાકાર મચાવીને સમગ્ર દેશમાં વિનાશ નોતરતા કોરોનાથી બચવા માટે સમગ્ર દેશ સૃષ્ટિના સર્જનહારની શરણે આવી ગયો છે અને સુષ્ટિના તારણહાર જ કોરોનાની આપત્તિમાંથી બચાવશે તેવી દ્રઢ શ્રદ્ધા સાથે લોકો સાચા દિલથી ઈશ્વરની આરાધના કરી રહ્યા છે. ત્યારે હળવદમાં પણ કોરોનાની આપતિ દૂર કરવા માટે લોકોએ ઈશ્વરનું શરણું લીધું છે. ખાસ કરીને સર્વશક્તિમાન ભગવાન ભોળાનાથ જ આ આપત્તિમાંથી બચાવે તેવી પ્રાર્થના કરવા તેમજ કોરોનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા 15મીએ શિવ મહિમ્ન સ્ત્રોત પઠનનું આયોજન કરાયું છે.

- text

હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શરણનાથ સેવા મંડળ દ્વારા આગામી 15 મેને શનિવારે રાત્રીના 9-30 થી 11 વાગ્યા સુધી શિવ મહિમ્ન સ્ત્રોત પઠનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માને સદગતિ મળે તે માટે ભગવાન શિવની આરાધના કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે હવે તો કોરોના મહામારીને હરી સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારી લઈને સૃષ્ટિમાં ફરી સુખ સમૃદ્ધિ લાવે તેવી ભગવાન ભોળાનાથને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવશે. હાલ સરકારની કોવિડની ગાઈડલાઈનને ધ્યાને રાખીને આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવ્યો છે અને લોકો ઓનલાઈન જોડાઈને કોરોનામાં મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી શકશે.

 

- text