મોરબી : જય અંબે કોરોના કેર સેન્ટરની મુલાકાત લેતા જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ

- text


મોરબી : મોરબીના બેલા ગામે કોવિડના દર્દીઓની સઘન સારવાર માટે જય અંબે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ જય અંબે કોરોના કેર સેન્ટરની આજે કેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ જ્યંતિભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, ડી.ડી.ઓ. ભગદેવ, આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જયંતિભાઈ ચાપાણી, તાલુકા પંચાયત સદસ્ય અશોક દેસાઈએ મુલાકાત લીધી હતી. અને દર્દીઓની સારવાર અંગે માહિતી મેળવી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

- text