અવસાન નોંધની યાદી : 26 એપ્રિલ (10:35 AM)

- text


મોટા રામપર : ઉપેન્દ્રસિંહ દિગ્વીજયસિંહ ઝાલાનું અવસાન

ટંકારા : મોટા રામપર નિવાસી ઉપેન્દ્રસિંહ દિગ્વીજયસિંહ ઝાલા તે, દિગ્વીજયસિંહ અભેસિંહ ઝાલાના પુત્ર તથા ઇન્દ્રસિંહ ઝાલા તથા ગંભીરસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ ઝાલાના ભત્રીજા તથા ભરતસિંહ (એડવોકેટ) તથા યશવંતસિંહ (પિન્ટુભાઇ) તથા જયપાલસિંહ તથા રવિરાજસિંહના મોટાભાઈનું તા. 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સતગતનું ટેલિફોનિક બેસણું તા. 29/04/2021ના ગુરૂવારે રાખેલ છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં લઇને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ભરતસિંહ 98253 29319, યશવંતસિંહ 98798 79532, જયપાલસિંહ 82381 60507, રવિરાજસિંહ 99985 95022)


મોરબી : ગૌતમભાઈ કરશનભાઇ અંબાલિયાનું અવસાન

મોરબી : ગૌતમભાઈ કરશનભાઇ અંબાલિયા, તે સ્વ.રામજીભાઈ, સ્વ.લક્ષમણભાઈ, સ્વ.નટવરભાઈ, સ્વ.વિનુભાઈ, પર્વતીબેન અને જ્યોતિબેનના ભાઈ તેમજ સ્વ.જયાબેનના પતિ તેમજ વિજયભાઈ, નીતિનભાઈ અને હંસાબેનના પિતા તેમજ રાજેશભાઈ (પત્રકાર) રાજુભાઇ, ભરતભાઇ, પ્રદીપભાઈ, કમલેશભાઈ, કિરણભાઈ, નરેશભાઈ, મહેશભાઈ, સરોજબેન, રીનાબેન અને દિવ્યબેનના કાકાનું તા. 25-04-2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલિફોનિક બેસણું તા. 26-04-2021 ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે રાખેલ છે. (ફોન નંબર 84011 68399, 88497 68573)


રાજપર : બાબુભાઈ પરસોતમભાઈ સનારીયાનું અવસાન

મોરબી : બાબુભાઈ પરસોતમભાઈ સનારીયા (ઉ.વ.82), તે પ્રવીણભાઈ તથા પ્રફુલભાઈના પિતાશ્રી તથા માનસી અને માનવના દાદાનું તા. 25 એપ્રિલ, 2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (મો.નં. પ્રફુલભાઈ સનારીયા 99256 99234, પ્રવીણભાઈ સનારીયા 99794 73059)


વાંકાનેર : દિવ્યાબેન રજનીકાંતભાઈ ચૌધરીનું અવસાન

વાંકાનેર : દિવ્યાબેન રજનીકાંતભાઈ ચૌધરી (વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ શાળાના શિક્ષિકા) (ઉ.વ.37), તે મેહુલભાઈ ચૌધરીના પત્નીનું તા. 25 એપ્રિલ, 2021 ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 26 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (મો.નં. મેહુલભાઈ ચૌધરી મો. 70468 85631, 99130 37566)

- text


લજાઈ : ગણેશભાઈ હંસરાજભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા : ગણેશભાઈ હંસરાજભાઈ કોટડીયાનું તા. 25/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (મો.નં. અંબારામભાઈ 94294 31076, પ્રભુભાઈ 99258 94155, પ્રાણજીવનભાઈ 98256 57391, રતિલાલભાઈ 98257 94855)


બરવાળા : હિતેશભાઈ કિશોરભાઈ સુરાણીનું અવસાન

મોરબી : બરવાળા નિવાસી હિતેશભાઈ કિશોરભાઈ સુરાણી (ઉંમર વર્ષ 32), તે કિશોરભાઈ મનજીભાઈના પુત્ર, સોહીલભાઈના ભાઈનું તારીખ 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 27/04/2021ને સવારે 8:30 થી 10:30 કલાકે રાખેલ છે. (કિશોરભાઈ 98790 17460, સોહિલભાઈ 99090 82254)


નસીતપર : કેશવજીભાઈ વાલજીભાઈ સવસાણીનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી કેશવજીભાઈ વાલજીભાઈ સવસાણી, તે તરશીભાઈ અને કરમશીભાઈના ભાઈ તેમજ બિપીનભાઈના પિતાનું તા. 24/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (તરશીભાઈ 95865 22806, કરમશીભાઈ 99793 13010, બિપીનભાઈ 97244 31681, જયેશભાઈ 98253 76846)


મોરબી : ગીતાબેન દિનેશભાઈ પડસુંબિયાનું અવસાન

મોરબી : ગીતાબેન દિનેશભાઈ પડસુંબિયા (ઉમર વર્ષ 45) નું તા. 25/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મો.નં. દિનેશભાઈ અરજણભાઈ પડસુંબિયા 98798 22483, કિશોરભાઈ 97269 19956, હિતેશભાઈ 99790 70928, મિતભાઈ 90812 35243)


લક્ષ્મીવાસ: રૂક્ષ્મણીબેન ટપુભાઈ દાવાનું અવસાન

મોરબી: રૂક્ષ્મણીબેન ટપુભાઈ દાવા ઉં.વ. 77 તે, કાંતિલાલ ટપુભાઈ (9904625983) અને વાઘજીભાઈ ટપુભાઈ દાવા (9173644464)ના માતાનું તારીખ 25ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text