મોરબી : કોરોના મહામારીના લીધે મોટા રામપર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ રદ

- text


મોરબી : મોરબીના મહેન્દ્રપુર-મોટા રામપર સ્થિત શ્રી નારીચાણા હનુમાનજી મંદિર ખાતે આગામી તા. 27ના રોજ હનુમાન જયંતિ પ્રસંગે તમામ ધાર્મિક કાર્યક્રમ કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવ્યા છે.

મહેન્દ્રપુર-મોટા રામપરના શ્રી નારીચાણીયા હનુમાનજી મહારાજની જગ્યામા આગામી તા. 27ને મંગળવારે હનુમાનજી જન્મોત્સવ કોરોના મહામારીને લીધે રદ કરી હોમ, હવન, બટુક ભોજન, સમુહ ભોજન સહિતના તમામ કાર્યક્રમ રદ કરેલ છે. જેની દરેક ધર્મપ્રેમી જનતાને નોંધ લેવા મંદિરના પુજારી ભરતદાસ બાપુ કુબાવતની યાદીમા જાણવામાં આવ્યું છે.

- text

- text