નીલકંઠ વિદ્યાલય કોવિડ સેન્ટર બનાવવા માટેનું સર્વોત્તમ સ્થળ : સેવાભાવી સંસ્થાને આગળ આવવા હાંકલ

- text


પીપળીયા ચાર રસ્તા પાસે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલી શાળા કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ નીલકંઠ વિદ્યાલય કોવિડ સેન્ટર માટે સર્વોત્તમ છે. ત્યારે આ સ્થળે કોવિડ સેન્ટર ખોલવા માટે સેવાભાવિ સંસ્થાઓને હાંકલ કરવામાં આવી છે.

કોવીડ -19ની મહામારી જેવી મુશ્કેલીમાં ઘણા બધા લોકોને પીપળીયાના આજુ બાજુના ગામથી મોરબી જવામાં મુશ્કેલી અનુભવાઈ છે. ત્યારે એક ઉમદો પ્રયાસ કરવામાં આવ્યો છે. નીલકંઠ સ્કૂલમાં કોવીડ સેન્ટર શરુ થાય અને આજુ બાજુના ગામ લોકોને તેનો ઝડપથી લાભ મળે તે હેતુથી સંસ્થાનું બિલ્ડીંગ , લાઈટ અને પાણીની સગવડ સાથે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

જલ્દીમાં જલ્દી કોઈ સેવાભાવિ સંસ્થા આવે અને નીલકંઠ વિદ્યાલય (આત્મીય વિદ્યાલય) માં કોવીડ સેન્ટર શરુ કરે તેવી અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાલય કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ છે. જ્યાં 200થી વધુ વૃક્ષો પણ છે.

- text