ધંધાના કામે અમદાવાદ-રાજકોટ જવાનું કહી નીકળેલો વાંકાનેરનો યુવક લાપત્તા

- text


વાંકાનેર : વાંકાનેરમાં વીશીપરા પ્રાથમીક શાળા પાસે રહેતા ધર્મેશભાઇ રમેશભાઇ ભીંડોરા ગોપાલ નમકીનની એજન્સી ધરાવે છે. તેઓ ઘરે ગોપાલ નમકીનની એજન્સીના ધંધાના કામે રાજકોટ તથા અમદાવાદ જવાનુ કહીને ગત તા. 16ના રોજ સવારના નવેક વાગ્યે ઘરેથી નીકળેલ હતા. તેઓ રાત્રીના પરત આવાનુ કહીને ગયા હતા. પરંતુ આજ દીન સુધી ઘેર પરત આવેલ ના હતા. આથી, તેમના પત્ની કુસુમબેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ગુમશુદા ધર્મેશભાઇની શોધખોળ કરી રહી છે.

- text