વાહ.. 102 વર્ષના દાદીને શ્રદ્ધાંજલી રૂપે પરિવારે કોવિડ સેન્ટરને કોરો ચેક અર્પણ કરી દીધો

- text


મોરબી : મોરબીમાં ઉદાર દાતાઓ ખૂટે તેમ નથી. મહામારીને નાથવાના પ્રયાસ માટે રોજ- બરોજ સહાયનો ધોધ વર્ષે છે. ત્યારે આજરોજ એક 102 વર્ષના દાદીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારે કોવિડ સેન્ટરને કોરો ચેક અર્પણ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીના જેતપર મચ્છુ ગામના નાથીબા 102 વર્ષનું આયુષ્ય ભોગવી ત્રણ પેઢીને રમાડી આજરોજ તા.19ના રોજ અક્ષર નિવાસી થયા છે. માતૃશ્રી નાથીબાની ઈચ્છા તેમની પાછળ લૌકિક ક્રિયાઓ કરવાને બદલે કોરોના પીડિતોને મદદ કરવાની હોવાથી તેમના પુત્ર ચંદુભાઈ અમરશીભાઈ વરસડા તરફથી આજે પરશુરામધામ મુકામે શરૂ થયેલ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં સંસ્થાને કોરો ચેક અર્પણ કરેલ છે. અને નાથીબાની કોરોના પીડિતોને મદદ કરવાની ઈચ્છા પૂર્ણ કરેલ છે.

- text