મોરબી સિરામિક ઉદ્યોગકારોએ 200 ઇન્ડસ્ટ્રીયલ બોટલને ઓકિસજનના બાટલામાં કન્વર્ટ કરવા આપ્યા

- text


એસો.ની પહેલથી વિવિધ ઉદ્યોગોએ બોટલ અર્પણ કરી, બાદમાં તેમા ઓક્સિજન ભરી દર્દીની સેવામાં મુક્યાં

મોરબી : મોરબીના સિરામિક એસોસિએશને 200 ઇન્ડસ્ટ્રીયલ બોટલને ઓક્સિજનના બાટલામાં કન્વર્ટ કરી નાખ્યા છે. ત્યારબાદ આ તમામ બાટલામાં ફેનિક્સ સીરામિકે ઓકિસજન ભરાવીને દર્દીની સેવા માટે અર્પણ કરી દીધા છે.

મોરબી સિરામિક એશોસીએસનની ટીમ વર્તમાન સ્થિતીમાં દર્દીઓની સેવા માટે કામે લાગેલ છે ત્યારે ઓક્સીજનની શોર્ટેજ ઉભી થતા એશોસીએસને ટેકનીકલ અને ઓકેસીજન સપ્લાયર તુલસીભાઇ (ટીડી પટેલ )સાથે વાત કરી અને વિચારને સાકાર કરવા ફેકટરીમા પડેલ બિન ઉપયોગી ઇન્ડસ્ટ્રીયલ બોટલ ઉદ્યોગમા વાપરવાના બદલે તેને મેડીકલમા કન્વર્ટ કરવા માટે મેમ્બરોને મોરબી સિરામીક એશોસીએસન દ્વારા અપિલ કરવામા આવી હતી.

- text

જોત જોતામા ૨૦૦ થી વધુ બોટલોને મેડીકલમા કન્વર્ટ કરવા માટે ઉધોગકારોએ આપી અને તેને કનવર્ટ કરવામા આવી અને તેમા ઓક્સીજન ભરવા તેમજ કન્વર્ટ કરવાની સેવા તુલસીભાઇ (ફેનીક્સ સિરામીક વાળા)એ કરી આપેલ છે. ત્યારે આજે મોરબીમા મહ્દઅંશે રાહત થઇ છે. આ ઘટનાને લઈને એસોસિએશન તરફથી જણાવાયું છે કે એક વિચાર જો માનવીય અભિગમ સાથે અપનાવામા આવે તો ૧૦૦% તેમા ઇશ્વરીય તાકાત તમારી સાથે જોડાય અને તમે સફળ થઇ શકો. આ મહામારીમાં બધાયે સાથે મળીને લડવાનું છે.

- text