નાના ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે જાહેર સૂચના

- text


ટંકારા : હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતી દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામની ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે જાહેર સૂચના આપવામાં આવી છે.

જે મુજબ ગામના લોકોએ બિનજરૂરી બહાર નીકળવું નહિ તેમજ બહાર ગામથી કોઇને આવવા દેવા નહીં, આસપાસના શહેરો તેમજ ગામડાઓમાં પણ વૃધ્ધો અને બાળકોનુ ખાસ ધ્યાન રાખવું. જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું અને સાથે માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું તેમજ કોઇ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવે તેને ક્વોરેન્ટાઇન થવાનું રહેશે.

- text

વધુમાં, બહાર ગામથી આવતા લોકોને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. તો પણ ગામમાં પ્રવેશ કરનાર સામે ગ્રામ પંચાયત પગલા લેશે. શક્ય હોય તો ગામની તમામ અનાજ કરિયાણા અને પાન-મસાલાની દુકાન સવારના 8થી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની રહેશે.

- text