મોરબીમાં કોરોના મહામારી વચ્ચે મધ્યાહન ભોજન યોજનાનું અનાજ વિતરણ મોકૂફ રાખવા રજુઆત

- text


હાલ પૂરતું વિતરણ મોકૂફ રાખવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને આચાર્યોની મામલતદારને રજુઆત

મોરબી : કોરોના મહામારીની વર્તમાન સ્થિતિમાં મોરબીમાં ધો. ૧થી ૫ના બાળકો માટે અડતાલીસ દિવસના માત્ર અઢી કિલો ઘઉં અને અઢી કિલો ચોખા તેમજ ધો. ૬ થી ૮ના બાળકોને સાડા ત્રણ કિલો ઘઉં અને સાડા ત્રણ કિલો ચોખાનું મધ્યાહન ભોજન યોજના અન્વયે હાલ પૂરતું વિતરણ મોકૂફ રાખવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજુઆત કરાઈ છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ અન અધ્યયન હોય, મધ્યાહ્નન ભોજન શાળામાં આપવાનું બંધ હોવાથી દર માસે બાળકોને શાળામાંથી ઘઉં-ચોખા આપવામાં આવે છે. એ મુજબ હમણાં જ એમ.ડી.એમ. ફૂડ સિક્યોરિટી અનાજ વિતરણનો પત્ર જાહેર થયેલ છે. હાલ મોરબીમાં કોરોના વધી રહ્યો છે, બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે. મોરબીમાં શિક્ષકો કોરોનાની ઝપટમાં આવેલ છે.

- text

ત્યારે ધો. ૧ થી ૫ ના બાળકોને અઢી કિલો અને ધો.૬ થી ૮ ના બાળકોને સાડા ત્રણ કિલો જેટલું અનાજ જીવના જોખમે વિતરણ કરવાથી બાળકો અને શિક્ષકો સંક્રમિત થવાનું જોખમ રહેલુ છે. એ બાબતને ધ્યાને લઈ હાલનું અનાજ વિતરણ મુલતવી રહે અને જ્યારે વિતરણ કરવાનું થાય ત્યારે અનાજ શાળા સુધી પહોંચાડવામાં આવે અથવા અન્ય તાલુકાની જેમ શાળા કક્ષાએથી કુપન આપી જેમ વાલીઓ સસ્તા અનાજની દુકાનેથી ઘરનું રાશન લઈ આવે છે, એની સાથે પોતાના બાળકોનું પણ લઈ આવે તેમજ અત્યાર સુધીના અનાજ ઉપાડવાનું, ઉતારવાનું અને શાળા સુધી પહોંચાડવાનું વાહન ભાડું દરેક આચાર્યોએ આશરે દશ હજાર જેટલી રકમનું રોકાણ કરેલ છે, જે મળેલ નથી. આથી, આ બાબતે યોગ્ય કરવાની રજુઆત મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ આચાર્યોએ કરેલ છે.

 

- text