ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિજનો માટે સોમવારે નિઃશુલ્ક વેકસિનેશન કેમ્પનું આયોજન

- text


મોરબી: ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા સમાજના 45 વર્ષથી ઉપરથી વધુ વયના જ્ઞાતિજનો માટે 12 તારીખને સોમવારે નિઃશુલ્ક કોવિડ વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 12 એપ્રિલને સોમવારે સવારે 9થી બપોરે 2 વાગ્યા દરમ્યાન સદ્દભાવના હોલ, કારીયા સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે આયોજિત આ નિઃશુલ્ક રસીકરણ કેમ્પમાં જતાં સમયે આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. રસી લેવા જતાં પૂર્વે જમીને અથવા નાસ્તો કરીને જવું જરૂરી છે. સ્થળ પર કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવા માટે માસ્ક પહેરીને પહોંચવું તેમજ સામાજિક અંતર જાળવી રાખવાનું આયોજકોએ એક યાદીમાં જણાવ્યું છે.

- text

 

- text