મોરબી : જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માર માર્યો

- text


મહિલા સહિત ત્રણ શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાનને મહિલા સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા (રંગપર) હાલ રફાળેશ્વરના આંબેડકરનગરમાં રહેતા અમૃતભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ. ૩૦) એ આરોપીઓ મનુભાઇ નરશીભાઇ મકવાણા, દિનેશભાઇ મનુભાઇ મકવાણા, સોનીબેન મનુભાઇ મકવાણા (રહે. ત્રણેય ગામ બેલા, રંગપર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યા વખતે ફરીયાદીના પિતા સાથે આરોપીઓએ અગાઉ એકાદ મહિના પહેલા બોલાચાલી કરેલ હોય જે બાબતે સમજાવવા જતા આ ત્રણેય આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકાથી શરીરે મુંઢમાર મારી તથા લાફા માર્યા હતા. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text