- text
મોરબી : મોરબી તાલુકાના જીકીયારી ગામેં તલમાં જતુંનાશક દવા છટકાવ વખતે ઝેરી અસરથી સગીરનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- text
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જીકીયારી ગામે આવેલ ભીખાભાઇ ભગવાનજીભાઇ બાવરવાની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુરના વતની રાકેશભાઇ થાવરીયાભાઇ નાયકા (ઉ.વ.16) નામનો સગીર ગત તા.10 ના રોજ જીકીયારી ગામની વાડીમાં તલમાં જતુંનાશક દવા છાંટતો હોય જે દવા છાંટી બપોરના તલમાં પાણી વાળવા તેને ઝેરી દવાની અસર થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રથમિક સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગત તા.11 ના રોજ સગીરનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- text